Skip to main content

સમાસની પરિભાષા શું છે ?


➡️બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે.

➡️સમાસ બે પદથી બને છે.
1. પૂર્વપદ 2. ઉત્તરપદ

-પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે.

-ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે.

❇️પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે.

સર્વપદ પ્રધાન સમાસ

એકપદ પ્રધાન સમાસ

અન્યપદ પ્રધાન સમાસ

❇️-સર્વપદ પ્રધાન સમાસ

➡️જયારે સમાસના બંને પદો વાક્યની સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય સાથે સાથે બંને પદ મુખ્ય હોય ત્યારે તેને સર્વપદ પ્રધાન કહેવાય છે.

દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ

➡️ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે,

1. નયનાબેન નીલેશની માતાનું નામ છે.
2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે.


❇️- એકપદ પ્રધાન સમાસ

 ➡️જયારે સમાસનું એક પદ વાક્ય સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવે અને બીજું પેડ અન્ય પદને આધારે ગૌણ પદ  હોય ત્યારે તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત. : મહાપુરુષ
અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ  છે.


❇️-અન્યપદ પ્રધાન સમાસ

➡️જયારે એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત.: મુશળધાર
જો મુશળ અને ધાર બંને પદોને અલગ કરવામાં આવે તો બેમાંથી એક પણ પદ દ્વારા વાક્ય બનાવી શકાય નહિ. પરંતુ બંને પદો એક સાથે જોડીને ઉપયોગ કરીયે તો વાક્ય બની શકે.

જેમ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

Comments

Popular posts from this blog

📚📚અંગ્રેજી વ્યાકરણ📚📚

✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 Kinds Of Noun – નામ ના પ્રકાર 📙 Noun – નાઉન – નામ ✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️ 📌 નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે. 📌 – નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે. 📌 – નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે. 📌 – કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે. 📌 – નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. ♦️ – નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે. 👇નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. 👨નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ) ⚱ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ) 😋ગળ્યું, તીખું, ખારું (ગુણ) 🕵‍♂હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ) 🧘‍♂⛹‍♀રમત, ગાયન, વાંચન (ક્રિયા) 📌 નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.* 📌 સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun) 📌 જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun) 📌 સમૂહ વાચક નામ (Collective Noun) 📌 દ્રવ્ય વાચક ના...

આજ નું જનરલ નોલેજ

શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?  - એડ્રિનલ  પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?   - શ્વસન  સિનેબાર કોની કાચી ધાતુ છે?  - પારો  દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?  - કેસીન  મનુષ્ય ના મગજ નો રંગ?  - જાંબુડિયો  પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?  - ફૂગ ઇતિહાસ શું છે? – સામાજિક વિજ્ઞાન  ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? – માનવ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે? – ઋગ્વેદ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? – કૌટિલ્ય  ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? – મેગેસ્થ્નીસે  રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ? – કવિ કલ્હણ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? – ઈ.સ. ૧૪૫૩  નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી? – વોલ્તેરે (ફ્રેંચ વિચારક)  વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? – વૈદિક સાહિત્ય

ગુજરાત નાં બંદરો

૧) જામનગર જિલ્લાના બંદરો -બેડી -સિક્કા -જોડિયા -સચાણા ૨)દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો -રૂપેણ -ઓખા -સલાયા -પીંઢારા -વાડીનાર -પોશિત્રા ૩) ગિરસોમનાથ જિલ્લાના બંદરો -વેરાવળ -હિરાકોટ -મૂળ દ્વારકા -ધામરેજ મઢવાડ -સીયાદ્વાજપુરા   સલાયા - દેવભૂમિ દ્રારકા સચાણા - જામનગર નવીબંદર - પોરબંદર નવલખી - મોરબી દહેજ - ભરૂચ હજીરા - સુરત